મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયાએ સતેન્દર કે સિઘડિયાની નવા માનવ સંસાધન પ્રમુખ તરીકે નિમણૂક કરે છે

એફએમસી ઇન્ડિયાએ આજે એપ્રિલ 01, 2022 થી અમલી, એફએમસી ઇન્ડિયાના માનવ સંસાધન પ્રમુખ તરીકે સતેન્દર કે સિઘડિયાની નિમણૂકની જાહેરાત કરી છે. તેઓ સંજય ગોપીનાથ પાસેથી જવાબદારી સંભાળશે, જેમને સિંગાપુર સ્થિત મોટી ભૂમિકામાં બઢતી આપવામાં આવી છે. સતેન્દર એફએમસી એપીએસી એચઆર ડિરેક્ટરને રિપોર્ટ કરશે. 

સતેન્દર પાસે આ ઉદ્યોગમાં 21 વર્ષનો બહોળો અનુભવ છે અને તે એફએમસી સાથે છેલ્લાં નવ વર્ષથી જોડાયેલા છે. તેઓ ભારતીય સેનામાં 5 વર્ષથી વધુનો લોકોના નેતૃત્વનો અનુભવ ધરાવે છે, અને આઇટી/આઇટીઇએસ, સેવાઓ, ઉત્પાદન અને કૃષિ-રાસાયણિક ક્ષેત્રોમાં એચઆર નેતૃત્વના 15 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે વિલયન અને સંપાદન, બદલાવ વ્યવસ્થાપન, વ્યવસાય અને લોકોની વ્યૂહરચનાની કલ્પના, અમલીકરણ અને વ્યવસાયની પ્રક્રિયાના એકીકરણમાં કુશળતા સાથે એચઆર કાર્ય પ્રવાહના તમામ ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમણે નોંધપાત્ર વૃદ્ધિ અને બદલાવના સમયગાળા દરમિયાન પરિવર્તન આણતી પહેલનું નેતૃત્વ પણ કર્યું છે.

નિમણૂક પર બોલતા, એફએમસી ઇન્ડિયાના પ્રમુખ રવિ અન્નાવરપુ કહે છે, "મને ખુશી છે કે સતેન્દર સંસ્થામાં સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંથી એકનું નેતૃત્વ કરશે - લોકો અને કાર્યશૈલી. સતેન્દર બહોળો અનુભવ અને લોકોના વ્યવસ્થાપનની શ્રેષ્ઠ કુશળતા ધરાવે છે, અને તેમનું યોગદાન એફએમસી ઇન્ડિયાની વરિષ્ઠ નેતૃત્વ ટીમને વધુ મજબૂત બનાવશે. સતેન્દરની નિપુણતા એફએમસી ઇન્ડિયાને કૃષિની જવાબદારીપૂર્વક વૃદ્ધિ માટે વિજ્ઞાન-આધારિત ટકાઉ ઉકેલો પ્રદાન કરતી એક ગતિશીલ, ભવિષ્ય માટે તૈયાર અને સ્ફૂર્તિમય સંસ્થામાં પરિવર્તિત થવાની યાત્રામાં ચોક્કસપણે ટેકો પ્રદાન કરશે.”

સતેન્દર કે સિઘડિયા, એફએમસી ઇન્ડિયાના એચઆર પ્રમુખ, કહે છે, "હું એફએમસી ખાતે આ જવાબદારી નિભાવવા માટે ઉત્સાહિત છું, જે ભારતમાં અને વૈશ્વિક સ્તરે કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવનાર વૈશ્વિક અગ્રણી છે. લોક-કેન્દ્રિતતા એ ખરેખર મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, અને હું દરેક કર્મચારી માટે મૂલ્ય-વર્ધન કરવાની મારી પ્રતિબદ્ધતા અને ઉત્સાહથી પ્રેરણા મેળવું છું. હું આ ભાવિ-કેન્દ્રિત સંસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ખુશ છું, જ્યાં સર્વશ્રેષ્ઠ પ્રતિભા, સહયોગ, વિવિધતા અને સમાવેશ અને સુખાકારી હંમેશા વિકસતી અને ગતિશીલ સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો છે.”

સતેન્દર એમડીઆઇ ગુરુગ્રામના પૂર્વ વિદ્યાર્થી છે, તેઓ એક ઉત્સુક વિદ્યાર્થી છે અને તેમણે હાર્વર્ડ મેનેજમેન્ટર, થોમસ પર્સનલ પ્રોફાઇલ એસેસમેન્ટ (પીપીએ), કારકિર્દી માર્ગદર્શન અને મૂલ્યાંકન વિકાસ કેન્દ્ર (એડીસી) સહિત વિવિધ કાર્યક્રમોમાં પ્રમાણપત્ર મેળવેલ છે.