મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી ઇન્ડિયા એ કૃષિ ક્ષેત્રે પ્રતિભાઓના વિકાસ માટે જીબી પંત વિદ્યાપીઠ સાથે સહયોગ કરે છે, વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરે છે

એફએમસી ઇન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે ભારતના આઠ રાજ્યોમાં મુખ્ય કૃષિ શાળાઓ માટેના તેના બહુ-વર્ષીય શિષ્યવૃત્તિ કાર્યક્રમની શરૂઆત કરતા, ગોવિંદ બલ્લભ પંત કૃષિ અને તકનીકી વિદ્યાપીઠ (જીબી પંત વિદ્યાપીઠ) સાથે આજે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર હેઠળ, એફએમસી જીબી પંત વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રે ડૉક્ટરેટ અને માસ્ટરની પદવીનો અભ્યાસક્રમ કરનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ચાર શિષ્યવૃત્તિઓ પ્રદાન કરશે. એફએમસી વિદ્યાપીઠના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને નોખા તારવવા અને વિજ્ઞાન અને સંશોધન માટે તેમનું ઉત્સાહવર્ધન કરવા માટે વિદ્યાપીઠ સાથે કાર્ય કરશે. ભારતમાં કૃષિ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે વધુ મહિલાઓ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે પચાસ ટકા શિષ્યવૃત્તિઓ મહિલા ઉમેદવારો માટે અલગ રાખવામાં આવી છે. આ ઉપરાંત, એફએમસી વિદ્યાપીઠ સાથે તેના સહયોગપૂર્ણ સંશોધન કાર્યને આગળ વધારશે.

"એફએમસીની પ્રતિભા વ્યૂહરચના એ સ્થાનિક વૈજ્ઞાનિકોની મજબૂત ટીમ સાથે સમૃદ્ધ વિવિધતાસભર આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમ તૈયાર કરવાની છે, અને જીબી પંત વિદ્યાપીઠ સાથેની અમારી ભાગીદારી ઈચ્છુક ઉમેદવારોની ક્ષમતાને ઉજાગર કરશે, જેઓ ઉદ્યોગના નિષ્ણાતો અને શિક્ષણવિદોની મદદથી સફળતાનો માર્ગ તૈયાર કરવામાં સક્ષમ બનશે," એફએમસી ઇન્ડિયાના પ્રમુખ, રવિ અન્નાવરપુએ કહ્યું. "ભારતમાં આર એન્ડ ડી સંબંધિત સ્થિતિ નોંધપાત્ર રીતે વિકસી રહી છે અને વૈશ્વિક માન્યતા મેળવી રહી છે. એફએમસી વિજ્ઞાન અગ્રણી શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા, વિદ્યાર્થીઓ આ વિકાસ યાત્રામાં અગ્રસર રહે, આ ક્ષેત્રની કેટલીક શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે વિશ્વ-સ્તરીય સંસ્થાઓમાં કામ કરે તેવી અમે આશા રાખીએ છીએ.”

એફએમસી, કૃષિ ઉદ્યોગની સૌથી વધુ મજબૂત સંશોધન અને વિકાસ શ્રૃંખલાને માર્ગદર્શન આપવા 800 કરતાં વધુ વૈજ્ઞાનિકો અને સહયોગીઓના વિશ્વ-સ્તરીય આંતરિક સંશોધન અને વિકાસ સંગઠન સાથે, કહે છે કે કૃષિ ઇકોસિસ્ટમમાં વૈજ્ઞાનિક સમુદાય અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ભાગીદારી વિશે બોલતા, જીબી પંત વિદ્યાપીઠના ઉપ-કુલપતિ ડૉ. તેજ પ્રતાપે કહ્યું: "એફએમસી ઇન્ડિયા સાથેનો સહયોગ અમારી સંસ્થા માટે ખૂબ મૂલ્યવાન છે. સંશોધનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે સહયોગ પ્રદાન કરીને કાર્ય કરવું એ સામાન્ય હિતના મુદ્દાઓના સમાધાનમાં એક જરૂરી માપદંડ બનવું જોઈએ, જે સમગ્ર ઉદ્યોગ માટે દૂરગામી અસરો ધરાવે છે. સંશોધન દ્વારા કૃષિમાં નવી તકનીકો વિકસિત કરવાની તાત્કાલિક જરૂરિયાત છે અને મને આશા છે કે એફએમસી ઇન્ડિયાની આ પહેલ ભારતીય કૃષિ ઉદ્યોગના અન્ય હિસ્સેદારોને તે કરવા માટે પ્રેરિત કરશે.”

જીબી પંત વિદ્યાપીઠના ઉપ-કુલપતિ ડૉ. તેજ પ્રતાપ, જાહેર અને ઉદ્યોગ બાબતોના એફએમસી નિયામક રાજુ કપૂર અને વિદ્યાપીઠના આચાર્યો અને વિભાગીય વડાઓની હાજરીમાં એફએમસીના ડૉ. આનંદકૃષ્ણન બાલારામન અને અનુસ્નાતક અભ્યાસના આચાર્ય, ડૉ. કિરણ રાવરકર વચ્ચે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એફએમસી તેના બહુ-વર્ષીય શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં આઠ વિદ્યાપીઠોમાં કૃષિ વિજ્ઞાન, કીટ વિજ્ઞાન, રોગ વિજ્ઞાન, માટી વિજ્ઞાન અને બાગ વિજ્ઞાન જેવી વિદ્યા-શાખાઓમાં 10 પીએચડી (એજી) અને 10 એમએસસી (એજી) શિષ્યવૃત્તિઓ પ્રદાન કરવા માટે વચનબદ્ધ છે. શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ, પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને કંપનીમાં સંપૂર્ણ સમયની રોજગારની તકોમાં પ્રાધાન્યતા ઉપરાંત, તેમના સમગ્ર વિકાસ માટે ઇન્ટર્નશિપ અને ઉદ્યોગ માર્ગદર્શન પણ આપવામાં આવશે.