એફએમસી કોર્પોરેશન, એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપનીને ભારતમાં જળ પ્રબંધનના ક્ષેત્રે તેમના અનુકરણીય યોગદાન માટે વિશ્વ જળ દિવસ-IWA-UNDP Water Sustainability Awards 2021-22 on World Water Day 2022. The awards program was jointly organized by The Energy Research Institute, the International Water Association and the United Nations Development Program.
એફએમસી તેના પ્રમુખ પ્રોજેક્ટ સમર્થ હેઠળ કાર્યરત અભિયાન ચલાવે છે, જે ભારતમાં 2024 સુધીમાં 200,000 ખેડૂત પરિવારોને સુરક્ષિત અને પીવાલાયક પાણી પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે. પ્રોજેક્ટ સમર્થ દ્વારા આજ સુધીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યોમાં 57 સામુદાયિક જળ શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેનો લાભ લગભગ 100,000 ખેડૂત પરિવારોને મળી રહ્યો છે. કંપની હવે 2022 માં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત વધુ રાજ્યોને આવરી લેવા માટે કાર્યક્રમની પહોંચને વિસ્તૃત કરી રહી છે.
"ટકાઉક્ષમતા માટેના અમારા પ્રયત્નોને માન્યતા પ્રાપ્ત થવી એ ગૌરવની બાબત છે," એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી રવિ અન્નાવરપુએ કહ્યું , "અમારો ધ્યેય ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનો છે અને પ્રોજેક્ટ સમર્થ જેવા વિવિધ પહેલ અને સામુદાયિક પ્રસાર કાર્યક્રમો દ્વારા જીવનધોરણ ઊંચું લઈ જવાનો છે. 4,000 થી વધુ એફએમસી તકનીકી ક્ષેત્ર નિષ્ણાતો ખેડૂતો સાથે જરૂર પૂરતા પાણીના ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારવા માટે બહેતર કૃષિ પદ્ધતિઓ અને પાણીના ટકાઉ ઉપયોગ વિશે સંપર્ક કરે છે. અમે પાણીના વપરાશની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે સમુદાયને મોટા પાયે શિક્ષિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને અમે ટીઇઆરઆઇ-આઇડબલ્યુએ-યુએનડીપી દ્વારા આ માન્યતા પ્રાપ્ત થવા બદલ આભારી છીએ. તે અમને પાણીના પ્રબંધનના અમારા મિશન પર આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
જળ શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવા ઉપરાંત, એફએમસી તેના તકનીકી નિષ્ણાતો અને ચૅનલ ભાગીદારોના વિશાળ નેટવર્ક દ્વારા કૃષિમાં પાણીના ટકાઉક્ષમ ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે.
The award was received by Mr. Raju Kapoor, director of Public and Industry Affairs, FMC India, in the presence of The Chief Guest Shri Bharat Lal, Secretary Lokpal of India, Former Additional Secretary Jal Jeevan Mission and Ms. Shoko Noda, UNDP Resident Representative in India.
ટીઇઆરઆઇ-આઇડબલ્યુએ-યુએનડીપી જળ ટકાઉક્ષમતા પુરસ્કારોનો હેતુ 'જળ તટસ્થતા' ના અભિગમને અપનાવીને વિવિધ હિસ્સેદારોમાં પાણીનો વપરાશ ઘટાડીને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો પાણીના ક્ષેત્રમાં અનેક શ્રેણીઓ અને કાર્યક્ષેત્રમાં ફેલાયેલા છે, અને તેનો હેતુ સ્થાનિક સ્તરે આ ઝુંબેશમાં સૌથી વધુ પરિવર્તનશીલ, પ્રભાવશાળી અને નવીન રીતે અગ્રસર હોય તેવા વ્યક્તિઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, ઉદ્યોગો, નગરપાલિકા મંડળો, ગ્રામ પંચાયતો અને આરડબ્લ્યુએ જેવા વિવિધ હિસ્સેદારોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાનો છે.