મુખ્ય કન્ટેન્ટ પર જાઓ
મેનુ ખોલવા માટે ક્લિક કરો
મેનુ બંધ કરવા માટે ક્લિક કરો
મુખ્ય કન્ટેન્ટ શરૂ કરો

એફએમસી કોર્પોરેશને મધ્યપ્રદેશમાં ખેડૂતો માટે સોયાબીનના પાક માટે નવીન નીંદણનાશક અને સ્પ્રે સેવાઓ શરૂ કરી છે

ભોપાલ, 26 મે, 2023: એફએમસી, જે એક અગ્રણી કૃષિ વિજ્ઞાન કંપની છે, તેને આજે મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યમાં ડ્રોન સ્પ્રે સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ રાજ્યમાં સૌથી વધુ ખેતી કરવામાં આવતા પાકમાંથી એક સોયાબીનના પાક માટે ગેલેક્સી® એનએક્સટી, એક નવીન નીંદણનાશક પણ શરૂ કર્યું છે.

એફએમસી કોર્પોરેશનના પ્રમુખ કાર્યકારી અધિકારી માર્ક ડગલાસ અને એફએમસી એશિયા પેસિફિક ક્ષેત્રના પ્રમુખ શ્રી પ્રમોદ થોટાની હાજરીમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં નવા નીંદણનાશક અને ડ્રોન સ્પ્રે સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાં ખેડૂતોના ખેતરોમાં સ્વચાલિત બૂમ સ્પ્રે સેવાઓનું લાઇવ પ્રદર્શન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું, તે સેવાઓ આગામી ત્રણ મહિનામાં દેશભરમાં રજૂ કરવાની અપેક્ષા છે.

""--

નાગરિક ઉડ્ડયનના મહાનિયામક, જે ભારતમાં હવાઈ પરિવહન સેવાઓના નિયમન માટે જવાબદાર સરકારી સંસ્થા છે, દ્વારા મંજૂર ડ્રોન સેવા મજૂરોની જરૂરિયાતને ઘટાડવાની સાથે જ ખેતીની ઉત્પાદકતામાં સુધારો કરશે તેવી અપેક્ષા છે. કૃષિ માનવ રહિત હવાઈ વાહનો (યુએવી) સ્પ્રેની એકરૂપતા અને કવરેજ પર વધુ નિયંત્રણ આપે છે, તેમજ તે ચોક્કસાઈમાં સુધારો કરે છે જેના દ્વારા એફએમસીના પ્રીમિયમ અને ખેડૂત-વિશ્વસનીય બ્રાન્ડ કોરાજન® કીટ નિયંત્રક અને બેનેવિયા® કીટનાશક જેવા પાક સંરક્ષણ ઉત્પાદન ઉપયોગમાં લેવામાં આવે છે. દરેક સ્પ્રે ડ્રોન લગભગ 15 મિનિટમાં ત્રણથી ચાર એકરના વિસ્તારમાં સ્પ્રે કરી શકે છે, જે સ્પ્રે કરવાના કામને વધુ સરળ અને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે. યુએવીનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ડિહાઇડ્રેશન અને લૂ લાગવા જેવા આબોહવાના જોખમોથી પણ સુરક્ષિત કરવામાં આવશે. એફએમસી ઇન્ડિયા, ખેડૂતો માટે બનાવેલા પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ચલાવી રહ્યું છે, જે ભારતમાં ઉગાડવામાં આવતા પાકમાં ઇનપુટ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે. સુલભતા માટે સ્પ્રે સેવાઓ એફએમસી ઇન્ડિયા ફાર્મર એપ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

“એફએમસી ઇન્ડિયાના પ્રમુખ શ્રી રવિ અન્નાવરપુએ જણાવ્યું કે, "એફએમસીનું આ પગલું દેશમાં કૃષિનું આધુનિકીકરણ કરવા માટે ડ્રોન અને અન્ય સ્પ્રે સેવાઓને શામેલ કરવા માટે ભારત સરકારના સમાવેશી સુધારાઓને અનુરૂપ છે,".

“પાકની રક્ષા અને ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીને અપનાવવું મહત્વપૂર્ણ છે. ભારત ખાદ્ય પ્રણાલીઓમાં નવીનીકરણમાં સૌથી આગળ છે, અને આ પ્રગતિ મધ્યપ્રદેશ રાજ્યમાં શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત થાય છે, જે બજાર-સંચાલિત, ટેક-હકારાત્મક અને ખેડૂત-કેન્દ્રિત છે. મધ્ય પ્રદેશ, એ પ્રથમ રાજ્યોમાંથી એક છે જ્યાં એફએમસીએ પોતાની સ્પ્રે સેવાઓ રજૂ કરી છે, જે ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઍક્સેસ અને પ્રશિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે જ સમયે, અમને ખરીફ સીઝનની પહેલાં સોયાબીનના ઉત્પાદન માટે નવીન ઉકેલો પ્રદાન કરતા ખુશીનો અનુભવ થાય છે અને અમે મધ્યપ્રદેશમાં કૃષિ ક્ષેત્રના વિકાસમાં ફાળો આપવાનું ચાલુ રાખીશું.”

સોયાબીન, એક ઉચ્ચ-મૂલ્યવાન તેલીબિયું પાક છે, મુખ્યત્વે મધ્ય અને દ્વીપકલ્પીય ભારતના વરસાદી કૃષિ-ઇકોસિસ્ટમવાળી જમીનમાં ઉગાડવામાં આવે છે, મધ્યપ્રદેશ તેનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. ગેલેક્સી® એનએક્સટી નીંદણનાશક એ એક અનન્ય ગુણ ધરાવતું નવીનતમ ઉત્પાદન છે જેમાં બમણી ક્રિયાની પદ્ધતિઓ શામેલ છે જે ઘાસ અને પહોળા પાંદડાવાળા નીંદણને ઉગ્યા પછી અસરકારક રીતે નિયંત્રિત કરે છે અને તેમાં સમાપ્ત કરવામાં મુશ્કેલ નીંદણ પણ શામેલ છે જેમ કે કોમેલિના બેંઘલેન્સિસ, કોમેલિના કમ્યુનિસ અને એકેલિફા ઇન્ડિકા સોયાબીનમાં. આ ઉત્પાદન સીહોર, ઉજ્જૈન, ઇન્દોર, ધાર, રતલામ, સાગર, છિંદવાડા, ગુના અને અશોક નગર જેવા જિલ્લાઓમાં એફએમસી દ્વારા મધ્યપ્રદેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

“શ્રી અન્નાવરપુએ આગળ જણાવ્યું કે "સ્વ-પર્યાપ્તતા અથવા આત્મનિર્ભર ભારત માટેનો ભારતીય રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ, તેના હૃદયમાં ખાદ્ય સંપ્રભુતાને ધરાવે છે,". “એફએમસીમાં, કૃષિમાં ટકાઉક્ષમતા અને નવીનતા માટે સમાન વિકાસ-લક્ષિત માનસિકતા અને પ્રતિબદ્ધતા હોવાથી અમને ખૂબ જ ખુશી થાય છે. મધ્યપ્રદેશમાં ખેડૂતોને વિવિધ પાકો પર અમારા કીટનાશકોની શ્રેણીનો ઉપયોગ કરવામાં સક્ષમ કરવા માટે સ્પ્રે સેવાઓની શરૂઆત કરીને અને સોયાબીનના ઉત્પાદકો માટે નવું ઉત્પાદન ગેલેક્સી® એનએક્સટી નીંદણનાશકને શરૂ કરીને, અમે અમારા ભાગીદારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સારી રીતે સજ્જ છીએ અને અમે સમગ્ર સ્પેક્ટ્રમમાં અમારી સેવાઓને સ્થાનિક અને અનુકૂળ બનાવવાનું ચાલુ રાખીશું.”

નવા ઉત્પાદનને રજૂ કરવા અને ખેતરમાં પ્રદર્શન કરવા ઉપરાંત, એક સમારોહનું પણ ભોપાલમાં આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભારતમાં એફએમસીના ટોચના 25 ભાગીદારોને કંપનીના વરિષ્ઠ નેતાઓ દ્વારા ભારતીય ખેડૂતોને નવીન ઉત્પાદનો અને નવી સેવાઓની રજૂઆત કરવા બદલ એકસાથે કામ કરવાની તેમની દૃઢ પ્રતિબદ્ધતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

એફએમસી વિશે

એફએમસી કોર્પોરેશન એક વૈશ્વિક કૃષિ વિજ્ઞાન કંપની છે, જે બદલાતા પર્યાવરણને અનુકૂળ બનીને વિશ્વની વધતી વસ્તી માટે ખાદ્ય, ચારા, ફાઇબર અને ઇંધણ ઉત્પન્ન કરવામાં ઉત્પાદકોને મદદ કરવા માટે સમર્પિત છે. એફએમસીના નવીન પાક સંરક્ષણ ઉકેલો - જૈવિક, પાક પોષણ, ડિજિટલ અને ચોકસાઈપૂર્વકની કૃષિ સહિત - ઉત્પાદકો, પાક સલાહકારો અને ઘાસ અને કીટ વ્યવસ્થાપન વ્યાવસાયિકોને પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે જ આર્થિક રીતે તેમના સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનાવે છે. વિશ્વભરમાં 100 કરતાં વધુ સ્થળોએ આશરે 6,600 કર્મચારીઓ સાથે, એફએમસી નવા નીંદણનાશક, કીટનાશક અને ફૂગનાશક સક્રિય ઘટકો, ઉત્પાદન સિદ્ધાંતો અને અગ્રણી તકનીકો, જે સતત પૃથ્વી માટે બહેતર હોય, તે શોધવા માટે પ્રતિબદ્ધ છે.

મુલાકાત લો fmc.com અને ag.fmc.com/in/en અને વધુ જાણો અને એફએમસી ઇન્ડિયાને અહીં અનુસરો ફેસબુક® અને યુટ્યૂબ®.